Wednesday, 7 March 2018

માનવવ્યવહારના દંભને ઉઘાડું પાડતું નાટક : ‘પથ્થરવત’


ગુજરાતી સાહિત્યના જાણીતા નાટ્યકાર શ્રી ચિનુ મોદીનું ગુજરાતી નાટ્યક્ષેત્રે કે રંગભૂમિક્ષેત્રે અનેરું પ્રદાન છે. શ્રી ચિનુ મોદીના નાટકો પૌરાણિક, કાલ્પનિક, સાહિત્યિક, સામાજિક તથા વાસ્તવિક નિસ્બત પણ ધરાવે છે. સાહિત્યિક અને સામાજિક બંને સ્થાનેથી વિષયવસ્તુને ઝડપથી તેઓ રંગભૂમિ પર તેને નાટ્યસ્વરૂપે રમતું મૂકી દે છે.
નાટકનું સ્વરૂપ જ એવી ખાસિયત ધરાવે છે કે, રંગભૂમિ પર નાટકને જોનાર કે માણનાર પ્રેક્ષકોને તેમાં પોતાપણું લાગવું જોઈએ. પોતાના જીવનમાં આ પ્રસંગ બની રહ્યાંનો અહેસાસ કે પોતાની આસપાસના પરિપ્રેક્ષ્યમાં ઘટનારી ઘટનાઓ કે પ્રસંગોનો સંદર્ભ તેના રસ અને રુચિને કેળવીને નાટકની નાટ્યક્ષમતા નક્કી કરતું હોય છે. નાટક રહ્યું, સાક્ષેપ માધ્યમ; એટલે શ્રોતાવર્ગની સહભાગીદારી અનિવાર્ય બને. એકવાર તેમાં કાલ્પનિકતાનું તત્ત્વ ઉમેરીને તો પણ આ સ્વરૂપ, આ નાટ્યકૃતિ પોતીકી તો લાગવી જ જોઈએ.
આ પ્રકારનું જ ચિનુ મોદી પૌરાણિક અને સાહિત્યિક પાત્રો-પ્રસંગોથી ઉફરા જઈ એક સામાજિક અને માનવવ્યવહારને પ્રસંગો દ્વારા ધીમે ધીમે ઉદાહરણરૂપ વ્યક્તિત્વો તથા પાત્ર-પ્રસંગ નિરૂપણ દ્વારા વાસ્તવિકતાના રંગે રંગાતુ નાટક ‘પથ્થરવત’ રચે છે. આ બે અંકના નાટકમાં કુલ ૬ દૃશ્યનો સમાવેશ થયો છે. આ નાટક રચ્યાં તે વર્ષથી આજ સુધી જોઈએ તો પણ નાટકને ભજવતા અને પઠન કરતા આપણી આંખ સામે જાહેર જીવનમાં આપણી આસપાસ જીવતા માનવીઓના વ્યવહારને સંબંધકર્તા લાગે, તેવો અનુભવ થયા વિના રહે જ નહીં. માનવવ્યવહારની ‘મુખ મેં રામ, બગલ મેં છૂરી’ની દંભ પ્રવૃત્તિ એકદમ યથાયોગ્ય રીતે આ નાટકમાં ઉઘાડી પાડવામાં આવી છે.
‘પથ્થરવત’ નાટકની શરૂઆત મંદિરના સ્થળ અને સાયંકાળના સમયથી થાય છે. પૂજારી મા અંબાજીની આરતી કરી રહ્યા છે અને ભક્તો ભાવપૂર્વક આરતી ગાઈ રહ્યાં છે. પૂજારી પછી બીજું પાત્ર આવે છે હરેશનું. પૂજારીના મતે માતાજીના પરમ ભક્ત એવા હરેશના નાની ઉંમરમાં આ ભક્તિભાવથી પૂજારી પ્રસન્ન છે તેને પહેલો પ્રસાદ આપે છે. પૂજારી આરતી માના ચરણ પાસે મૂકવા જાય છે ત્યાં એક પહોળો, પડછંદ, કરડા ચહેરાવાળો માણસ મંદિરમાં પ્રવેશ કરે છે.
“અજાણ્યો: કાં, અમને આરતી દેવી નથ ?
પૂજારી:     કેમ નહીં ? કેમ નહીં ? ભાઈ, આ તો માનું મંદિર છે. અહીં બધા સરખાં, શું ગરીબ, શું તવંગર, શું ઊંચ, શું નીચ, શું સ્ત્રી, શું પુ...., 
અજાણ્યો : વેવલીનો થા મા ને તારી લેક્ચરબાજી બંધ કર, અને આ મૂર્તિ ઉપરનાં ઘરેણાં ચૂપચાપ
  ઊતારી આપ.”(પૃ.૬૪૭)
અજાણ્યો માણસ માતાજી પરના બધા ઘરેણાં ઊતારી આપવા જણાવે છે ત્યારે પૂજારી આ વાત નકારે છે અને મારી નાંખવો હોય તો મારી નાંખ અને અજાણ્યા વ્યક્તિને સત્યાનાશ જાય; એમ બદદુઆ પણ આપે છે. એ બધું અવગણીને પણ અજાણ્યો વ્યક્તિ પોતાનું કામ પતાવી ચાલ્યો જાય છે. પૂજારી પોતાનો બળાપો માતાજીની મૂર્તિ સમક્ષ કાઢતો રહે છે. માતાને ઉદ્દેશીને કહે છે કે,
‘પેલો પાપિયો તારાં ઘરેણાં લઈ ગયો અને  તું જોતી રહી !.....તારાથી એક વેણ ન વદાર્યું ?.....કેમ મૂગી મૂગી લૂંટ સ્હેતી ?....તું કહે આ જગતમાં છે કે નહીં ?...... તું આજે મને ‘હા’ કે ‘ના’નો જવાબ હાજર થઈ નહીં આપે તો મા, મારી જનોઈના સોગંદ છે; હું તારી ચોખટ પર માથે પછાડી પછાડીને મરી જઈશ.” (પૃ.૬૪૮)
જ્યારે પૂજારી માથું પછાડવું શરૂ કરે છે, ત્યારે જ મૂર્તિવત ઊભેલી મા અચાનક બોલી ઊઠે છે,
‘વત્સ, અમે તારી ભક્તિ જોઈ; ન્યોચ્છાવરી જોઈ. આ કળિકાળમાં દીકરો એની સગી જનેતાને ઘરડાં ઘરમાં મૂકી આવતો હોય ત્યારે તે તારા પ્રાણની ચિંતા ન કરી અને તે મને ચડાવેલાં ઘરેણાં, લૂંટારાને તારે હાથે ના ઉતારી આપ્યાં....વત્સ, હું તારા પર પ્રસન્ન છું; માંગ, માંગ તે આપું...?’ (પૃ.૬૪૮)
પૂજારી માતાજીને મંદિરમાં હાજરાહજૂર અહીં હોવાનું વરદાન માંગે છે ને મા ‘તથાસ્તુ’ કહી પૂજારીને પોતાના માટે કંઈક માંગવાનું કહે છે. પૂજારીને કશું સૂઝતું નથી તેથી મા બોલે બંધાય છે અને ભવિષ્યમાં એક વરદાન આપવાનું વચન આપે છે. અહીં, ‘તેરે દ્વાર ખડા એક જોગી...’ ગીત પૂજારી માટે પ્રસ્તુત લાગે અને મા ‘આ તો ફિલ્મી ગીત છે, નહીં ? હિંદી ફિલ્મોમાં આવાં ગીતો પણ હોય’ એમ કહી માનો વર્તમાન તથા વાસ્તવિક જગત સાથેનો વ્યવહારિક સંબંધ જોડી આપે છે. આટલું પૂરતું હોય એમ, મા પાછી ‘પથ્થરવત’ થઈ જાય.
પહેલા અંકના બીજા દૃશ્યમાં સાયંકાળનો સમય છે. મા અંદરથી બૂમો પાડતાં પાડતાં આવે છે. ‘પૂજારી, બેટા, તું ક્યાં છો ?’ પોતાના આંતર સાથે વાર્તાલાપ કરતા મા બબડે છે,
“અરે, આ મંદિર તો ભક્તો વગર મને ખાવા જાય છે. - ન પૂજારી આવ્યો છે, ના કોઈ ભક્તો આવ્યાં છે. એકલાં એકલાં તો બહુ કંટાળો આવે છે(બગાસું ખાય છે)...ક્યારેક ચા, ક્યારેક કૉફી, તો થોડો ચેન્જ રહે- આ તો દૂધ-દહીં-શર્કરાને મધ ને કેળાવાળું દ્રાવણ જ અમને ધરાવવામાં આવે છે અને પાછાં એને પંચામૃત કહે છે- એલા, દહીં-દૂધ ભેગાં કરાતાં હશે ?” (પૃ.૬૪૯)
આ અંત: વાર્તાલાપ વચ્ચે પતિ-પત્ની ઝઘડતાં-ઝઘડતાં પ્રવેશેને મા પગલાંનો અવાજ સાંભળી ‘મૂર્તિવત’ બની જાય. જોલી અને રાકેશ; પતિ અને પત્ની. જોલીને રાકેશના ચરિત્ર પર શંકા છે. એટલે એ તેને મંદિરમાં માના સોગંદ આપવા લઈ આવી છે. છેલ્લે રાકેશ કહે છે,
“હું રાકેશ ચિમનલાલ પરીખ, મારા પૂરા હોશ હવાસમાં જાહેર કરું છું કે હું ગયા રવિવારે ઓફિસમાં જ ગયો હતો- કોઈ સાથે વેલકમ હોટેલમાં નહોતો ગયો- મા જગદંબાના સો...”(પૃ.૬૫૧)
આટલું બોલતા જ મા પ્રગટ થયાં. રાકેશના કાન પકડે છે ને સંધ્યા સાથે હતો તેનો ખુલાસો કરે છે અને જૂઠું બોલીશ તો બાળી નાંખવાની સુચના આપે છે. બીજી તરફ આ સાંભળી જોલી હિબકે ચડે છે અને રાકેશ સાથે છૂટાછેડા લઇ લેવાની સલાહ આપે છે. અહીં સંવાદ જોઈએ તો,
“જોલી:  મા થઈને તમે દીકરીને આવી સલાહ આપો છો ? મા, પતિ તો પરમેશ્વર કહેવાય-
મા:      અરે, તમારા જેવી સન્નારીઓએ જ આ પુરુષોને ફટવ્યા છે ! પતિ પરમેશ્વર શેનો?
પુરુષ માત્ર-પામર થવાને પાત્ર-”(પૃ.૬૫૧,૬૫૨)
માના આ પ્રકારના નારીવાદી વિચારથી જોલી અવાચક છે; પરંતુ, પતિ- પરમેશ્વરને છોડવા તૈયાર નથી. રાકેશ તક જોઈને ત્યાંથી સરકે છે. તેને રસ્તામાં પૂજારી, રાકેશને માતાના દર્શન કર્યા ? એમ પૂછે છે ત્યારે,
“રાકેશ: અરે પૂજારી, આ તમારી માએ તો મને મુશ્કેલીમાં મૂકી દીધો- એમને લીધે મારો માળો
વીંખાઈ જશે- એમને કહો કે અહીં હાજરાહજૂર ના રહે....”(પૃ.૬૫૨)
આ પછી કટાક્ષમા હસીને પૂજારી કહે છે, ‘માનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને...’ આ પતિ-પત્નીના સંબંધોમાં વ્યાપી રહેલા દંભને સંવાદો દ્વારા ઉઘાડા પાડવાનું કાર્ય મા કરે છે.
હવે પૂજારી માને પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું કહે છે, માને ખૂબ ભૂખ લાગી હોવાથી વિધિ પૂરો થયા પહેલા મા, કેળા તરફ હાથ લંબાવે છે, પૂજારી રોકે છે. ભોગ ધરાવવાનો વિધિ પૂરો થાય, કેળાની છાલ ઉતારે; પણ, કેળું સડેલું. પૂજારી અને મા વચ્ચે સંવાદ,
“મા:     સડેલું ? છી...(કેળું ફેંકે છે) વત્સ, આ મંદિરની આટલી બધી આવક છે ને મને સડેલાં ફળ ધરો છો ? શરમ નથી આવતી ? મારા આરોગ્યનો તો વિચાર કરો-
પૂજારી : મા, કળજગ કોને કહ્યો? મા, હવે કશું જ શુદ્ધ નથી મળતું.
મા:      તો શું અમેરિકામાં સતયુગ ચાલે છે; ત્યાંના ભક્તો તો આવા સડેલાં ફળ ક્યારેય નથી ધરતાં-
આવું ને આવું કરતા રહેશો- તો મારે અહીંથી પ્રયાણ કરવું પડશે.”(પૃ.૬૫૨)
અહીં ભારતની દંભી પ્રજા ઈશ્વર અને માના નામ પર જે દંભનું ચક્ર ચલાવતી રહે છે તેમાંથી ખુદ ઈશ્વર પણ બાકાત નથી. જો ઈશ્વર સાચે જ સાક્ષાતરૂપ લઈ મનુષ્ય બને તો માની થઈ એવી પરિસ્થિતિમાં જરૂર મૂકાઈ જાય, એવો સચોટ અને તીક્ષ્ણ કટાક્ષ નાટ્યકાર અહીં કરે છે.
પહેલા અંકના ત્રીજા દૃશ્યમાં રાત્રિના સમયે હરેશ તાળી સાથે મા સામે નૃત્ય કરતાં કરતાં પ્રવેશી, માનો જયઘોષ કરે છે. આટલી રાત્રિએ મંદિરમાં આવવા બદલ પૂજારી હરેશને પૂછે છે. હરેશ સ્વપ્નમાં માએ મંદિરમાં આવવા કહ્યું એટલે દર્શન કરવા આવ્યો છે, એમ સ્પષ્ટતા કરે છે. પૂજારીને મંદિરથી થોડા સમય માટે દૂર કરવા મૂર્તિવત માતાજીને ધક્કો મારી ગર્ભદ્વાર તરફ ધકેલી દે છે. હરેશ મૂર્તિ ચોરાઈ હોવાનો ઢોંગ રચી પૂજારીને FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ધકેલે છે. હરેશ વ્હિસલ પર ગીત વગાડે છે, ‘મેરા દિલ યહ પુકારે : આ જા;...ત્યાં જ અંદરથી મા હાજરાહજૂર. ત્યાં હરેશનો ભક્તરાજ બનવાનો દંભ પ્રગટ થઈ જાય છે. તે જોઈએ..
“મા:     અત્યારે રાત્રે કેમ આવ્યો હતો?
હરેશ :   મા, તારાં દર્શન કરવાં....
મા :     કોનાં દર્શન- મારાં કે પૂજારીની દિકરીનાં?
હરેશ:    મા, તું તો અંતર્યામી છે-
મા:      હા, અંતર્યામી છું એટલે તો તારું હદય ચોખ્ખે ચોખ્ખું જોઈ શકું છું- તારા હદયમાં મારી
છબી અંકિત છે કે પૂજારીની દીકરીની?
હરેશ:    મા, મા, ક્ષમા કર- હવે હું પ્રેમ નહીં કરું-
મા:      પ્રેમ કર, પણ દંભ કર્યા વગર પ્રેમ કર...”(પૃ.૬૫૬)
અહીં પ્રેમ કરનાર; પરંતુ, સમાજના દંભ ભર્યા વ્યવહારનું સંવાદો દ્વારા સુંદર સંદેશ માના મુખે પાઠવવામાં આવ્યો છે. બીજા અંકના પહેલા દૃશ્યમાં મંદિરમાં પ્રાત:કાળના સમય છે. મા અન્યમનસ્ક અવસ્થામાં મંદિરમાં આંટાં મારતાં વિચારે છે,
“આ હું કેવા યમનિયમમાં ફસાઈ ગઈ છું? સવાર સાંજ ભક્તોને દર્શન આપવાનો બહુ કંટાળો આવે છે- દરેક જણને મારી પાસે કૈંક ને કૈંક જોઈતું જ હોય છે- કોઈ વિના સ્વાર્થ મારી પાસે આવતું જ નથી....અંબે, આમ ઝટ ઝટ શું પ્રસન્ન થઇ જવાનું- જેના તેના પર? સાચે જ પ્રસન્નતાનું પ્રાગટ્ય આપણને દુઃખમાં જ ધકેલે...મનુષ્યને તો કષ્ટમાંથી અને દેવદેવીઓ પણ ઉગારીએ- પણ, અમને આ વિપત્તિમાંથી કોણ ઉગારે?....”(પૃ. ૬૫૭, ૬૫૮)
હવે મંદિરમાં પ્રવેશ થાય છે, નેતા અને તેની સાથેના ટોળાનો નેતા; ટોળાએ નેતાનો જયઘોષ બોલાવ્યો તે બદલ માની માફી માંગી ‘જગની જનની ની જય’નો જયઘોષ કરે છે. ટોળું તેને અનુસરે છે. મા કરુણતાનો અવતાર છે. માને સાષ્ટાંગ દંડવત્ કરીને,
“નેતા:   હે મા ! બહુ આશાઓ લઈ બહુ અરમાન લઈ તારે દરબાર આવ્યો છું, મા ! મારી લગામ તારે હાથ, કેવળ તારે હાથ.
મા:      (પ્રગટ થઈને) જૂઠું બોલે છે?....તારી નાડ તો પ્રજાના હાથમાં છે, પ્રજાના. એને રીઝવ.
નેતા:    હેં હેં હેં ! પણ પ્રજા તારા હાથમાં છે ને ! મા આ વખતે હું ચૂંટાઈશ અને પાછો પ્રધાન થઈશ તો તારા આ મંદિરના જિર્ણોદ્ધાર કરીશ મા !” (પૃ.૬૫૯)
આમ, માને લાંચ આપવાની કોશીશ કરે છે. મા કહે છે, તેના પૈસે જિર્ણોદ્ધાર કરશે? સરકારના, પ્રજાના, કાળા નાણાં. આ નાણાં નહીં ચાલે મહેનતના પૈસાથી જિર્ણોદ્ધાર કરો. નેતા કહે છે કે, ‘મારી પાસે બીજા પૈસા તો ક્યાં છે ?’ ત્યારે મા ક્રોધે ભરાઈને કહે છે કે,
મા:      રાજકારણનો ધંધો તો કરે છે ને ? જા, હું તને નહીં વરદાન આપું તારો ઘોર પરાજય થશે.
તું હતો ન હતો થઈ જઈશ.(પૃ.૬૫૯)
આ માના ઉદ્દગાર સાંભળી નેતાજી પોતાનો રંગ બદલે છે ને ટોળું ઉશ્કેરાઈ બોલે છે,
‘આ કોણ બાઇ છે? અમારા નેતાને કેમ ખખડાવે છે અને તમે સાંભળી લો છે’ (પૃ.૬૫૯)
મા બધાને તેમના કુકર્મો ઉઘાડા પાડવાની ચેતાવણી આપે છે ત્યારે નેતાનો સંવાદ આજના વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ બંધબેસતો અને માનવીના દંભ અને ઉપરછલ્લી લાગણી અને ભક્તિની હાંસી ઉડાવવા લાગે છે.
“નેતા:   તારા પૂજારીને કહેલું કે તું અહીં હાજરાહજૂર છે એટલે જ તારી પાસે આવ્યો હતો. એટલે તમે તો માતાજી, સાતમે આસમાને બેસી ગયા ને કંઈ? એઈ મા, સાંભળ- મારો ભારત દેશ મહાન છે- અહીં તારા જેવાં તેત્રીસ કરોડ દેવીદેવતા છે સમજી? કહેનારે કહ્યું છે ને સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. તું દેવી ખરી પણ, સ્ત્રી તો ખરીને- હું જાઉં છું અને કહેતો જાઉં છું કે તું ભક્તો સાથે આવું તે આવું વર્તીશ ને તો આખી જિંદગી આ મુઠ્ઠી જેવડા મંદિરમાં પડયા રહેવું પડશે, શું?” (પૃ.૬૬૦)
આમ, આજના ભારત દેશમાં આ પ્રકારના નેતા અને ટોળા સમયે સમયે નહીં પણ દરેક સમયે સમાચાર, જાહેર જીવન અને આપણી આસપાસના સમાજમાં દેખાતા જ રહે છે. આ રીતે આ સમયમાં આ નાટક પ્રસ્તુત છે.
બીજા અંકના ત્રીજા દૃશ્યમાં સ્થળ એમનું એમ જ રહે પણ ભજવણીના પાત્રો બદલાય. પાત્રમાં આવે રંગલો-રંગલી. રંગલો અને રંગલી પોતાની મીઠાસ ભરી કાવ્યાત્મક વાણીથી માને રીઝવવાની કોશિશ કરે ત્યારે કહે,
“રંગલી: કહે રંગલો, ભક્તિભાવે
શીશ નમાવી એમ;
સતનો છું સંગાથી
એથી અઢળક દેજે પ્રેમ
તાક્ થૈયા થૈયા તાક્ થૈ...”(પૃ.૬૬૦)
રંગલા-રંગલીના ‘સતનો છું સંગથી’ શબ્દ પર મા પ્રગટ થઈને પૂછે, ‘તું આખી જિંદગી સાચું જ બોલ્યો છે?’ મા રંગલા-રંગલીના જૂઠ્ઠાણા હાજરાહજૂર થઈને ઉઘાડા પાડે. દિલ્હી દરબારમાં મસકા મારીને પદ્મશ્રી મેળવ્યો. આ બધી વિગતો કહેતાની સાથે રંગલી, રંગલાને કહે છે,
‘માતાજીની જેમ ઊભી ઊભી તને ગાળો દે છે ને તું ચૂપ મુઓ છે?’
આ સાંભળી મા તરત જ રંગલીને કહે,
‘કહી દઉં તારી એબ, રંગલી.....અહીં નહીં આવીને તે કોની રાત રઢિયાળી કરી હતી....’(પૃ.૬૬૧)
આ સાંભળી રંગલી ‘અંબે માત કી જય’નો જયઘોષ કરતી પાછી રંગલી માને સલાહ આપતી જાય,
‘મા, તું આ થાનકમાં હાજરાહજૂર ? રહીશ તો કોણ આવશે તારે દ્વારે? મા, તું આરાસુર પાછી જા- નહિતર મંદિરનું મહાત્મ્ય ઘટશે.’(પૃ.૬૬૨)
આ સાંભળી મા દ્વિધામાં મૂકાઇ જાય ‘ટુ બી ઓર નોટ ટુ બી ઈન ધીસ ટેમ્પલ? ઇટ્સ એ ક્વેશ્ચન’- આ સંવાદ દ્વારા સમજાય છે કે પથ્થરની બનેલી મૂર્તિઓ આપણા દંભી સમાજમાં કેમ આટલી પૂજાય છે? આ સંવાદ દ્વારા લેખક માના મુખેથી બોલતા જણાય છે અને આ નાટકીય ઢબ-પ્રયુક્તિ નાટકને વર્તમાનકાળ સાથે તથા આધુનિક તત્કાલિન સમાજ સાથે સુંદર જોડાતો અનુભવાય છે.
નાટકના છેલ્લા દૃશ્યમાં પૂજારી ઝડપથી(સ્પિડમાં), વચલી બધી આરતીની કડીઓ ગુપચાવીને આરતી પૂરી કરે છે. મા, પૂજારીને પૂછે આ આરતી તુ કોના માટે કરે છે? મને પ્રસન્ન કરવા કે લોકો માટે....અને પછી પૂજારીને કહે છે કે,
“મા:     ઘણા દિવસથી હું જોઉં છું કે મંદિરમાં હવે કોઈની આવ-જા રહેતી નથી.....કેમ આમ થયું?
પૂજારી: મા, મનેય એ સમજાતું નથી કે આમ કેમ થઈ રહ્યું છે? આવું લાંબો વખત ચાલશે તો, મા, આપણે દરિદ્ર થઈ જઈશું- ભક્તો વગર પાઈ પૈસા કોણ નાંખે?
મા:      પણ, એ બધા કેમ આવતા નથી?
પૂજારી: દૈ જાણે મને તો એમ હતું કે તું હાજરાહજૂર થઈશ એટલે આ મંદિરની બોલબાલા થશે-”(પૃ. ૬૬૨, ૬૬૩)
અહીં નાટકની શરૂઆતમાં પૂજારીનું માના હાજરાહજૂર થવાનું ખરું કારણ ઉજાગર થાય છે. પૂજારીએ આ વરદાન પોતાના માટે જ માગ્યું હતું. મા સ્થાનકમાં હાજરાહજૂર થાય અને મંદિરની પ્રસિદ્ધિ થાય અને પછી મંદિરની આવક વધે એટલે પૂજારીની તો સ્વાભાવિક રીતે જ વધવાની પૂજારી સ્પષ્ટતા કરતા પૃથ્વીલોકના માનવવ્યવહારમાં વ્યાપેલા દંભને ઉઘાડા પાડતા માની જરૂર અહીં નથી એમ કહે છે.
ત્યારબાદ બહારથી ટોળાનો અવાજ સંભળાય અને રાકેશ, રંગલી જેવા માની સચ્ચાઈનો ભોગ બનેલા બધા ભેગાં થઈ મંદિર આંગણે આવી સૂત્રોચ્ચાર કરે છે.
“રાકેશ: આવી માતા ના જોઈએ, ના જોઈએ.
રંગલી: હાજરાહજૂર મા ના જોઈએ, ના જોઈએ....
રાકેશ:   સજીવન છે તો
રંગલી:  પથ્થર થા....”(પૃ.૬૬૩)
પૂજારી આખા ટોળાને શાંત કરવા તેમજ માનો મહિમા સમજાવવા થાય છે; પરંતુ, લોહીલુહાણ થઈ માના પગે ઉડી જાય છે અને છેલ્લે,
“પૂજારી: મા, તે કહેલું ને હું માંગીશ તે આપીશ?
મા, તું પુનઃપથ્થરવત થઈ જા.”(પૃ.૬૬૪)
આમ, મા પાછી પથ્થરવત એટલે કે જડ બની જાય છે. આજના સમાજમાં કે જગતમાં લોકો મોટે ભાગે જડ-મડદા જેવાં બની ચૂક્યાં છે. જેને જગતમાં વ્યાપત બદીઓ જોઈ તો શકે છે; પરંતુ, આંખ આડા કાન કરી, પથ્થરવત બની ચૂપ રહે છે. આપણા ગુજરાતીમાં કહેવત છે કે, ‘નમે તે સૌને ગમે’ પણ ‘ન બોલે તે પણ સૌને ગમે’ એમ આ નાટક પાત્ર-પ્રસંગના ઉદાહરણો દ્વારા સચોટ રીતે સાબિત કરી બતાવે છે. આ દંભીપણાના ચક્રવ્યૂહમાંથી ખૂદ ઈશ્વર પણ બાકાત નથી. જગતમાં કે આ પૃથ્વીલોક પર નિર્જિવ વસ્તુઓની બોલબાલા છે. પથ્થર પૂજાય છે અને જીવતા લોકોએ અપમાનનો ભોગ બનવો પડે છે.
આખા નાટકમાં સ્થળ બદલાતું ન હોવાને કારણે દિગ્દર્શકે ઝાઝી સ્થળની વ્યવસ્થા કરવાની રહેતી નથી. કાળના એટલે કે સમયને દર્શાવવા માટે પ્રકાશ આયોજનનો ઘણો અવકાશ રહેલો છે. નાટકમાં પાત્રો ઝાઝા છે; પરંતુ, મુખ્ય પાત્રો તો પૂજારી અને સાક્ષાત મા જ છે. બીજા પાત્રો વેશભૂષાના વૈવિધ્ય દ્વારા ચહેરા એક રાખી મહોરા બદલી શકાય તેવા છે અને બેકગ્રાઉન્ડમાં અવાજનું(સાઉન્ડ ઈફેક્ટ) સુંદર આયોજન ઘણી રીતે નાટકને ઉપર્યુક્ત નીવડે તેવું બની શકે.
આમ, માનવવ્યવહારના જડવત કે પથ્થરવત પાસાંને વિવિધ વાઘા પહેરાવી વર્તમાનમાં પૃથ્વીવાસીઓમાં વસતા દંભને ખુલ્લો પાડવાનું કાર્ય નાટ્યકારની કલમે અચૂક કર્યું છે.

*(સંદર્ભગ્રંથ)    નાટ્યાવલિ :    ચિનુ મોદી
-હેતલ ગાંધી

નારી જીવનના વિવિધ રંગોના તરજુમાને પ્રગટ કરતો વાર્તાસંગ્રહ: ‘વૅન્ટિલેટર’


નારી શબ્દ વ્યકિતના ગર્વના અનુભવ મતે પર્યાપ્ત છે. નારી એટલે સંવેદનાનો સાગર, લાગણીઓનું ધસમસતું પૂર, સમપર્ણની પ્રતિમૂર્તિ વગેરે વગેરે... નાચેના જીવનન ઘણા પાસાંઓ છે, જેને વિવિધ રંગો પણ કહી શકાય. આપની આસપાસ જીવન પર્યન્ત નારી વિવિધ ભૂમિકાઓ નિભાવતી રહે છે. આ સમગ્ર ભૂમિકાઓના તરજુમાને- અનુભવને શબ્દરૂપે કલમ દ્વારા કાગળ પર ઉતારવાનું બીડું આ ‘વૅન્ટિલેટર’ વાર્તાસંગ્રહના લેખિકા રેણુકા પટેલે ઝડપ્યું છે. વાર્તાસંગ્રહની વાર્તાઓના નિચોડને આપતું ઢસડાતી સંવેદનાઓની વણઝારાની સ્પંદન- કથાઓ’-સાર્થક થતું જણાય.

રેણુકા પટેલના ‘વૅન્ટિલેટર’ વાર્તાસંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓને સ્થાન આપે છે. પ્રથમ વાર્તા ‘સ્વજન નામે’ માં અદિતિ પોતાના પુત્રના ભગ્ન લગ્નજીવનને સાંધવા માટે પોતાના પતિના વિરોધ થતાં વિદેશ પુત્ર પાસે જાય છે. ત્યાં પુત્રવધૂ વિદેશી હોવાથી અને પુત્રના કહ્યાં પ્રમાણે તેને જ દોષી માને છે, ઘણીવાર ભાંડે છે; પરંતુ, પુત્રની ગેરહાજરીમાં નાનપણથી એકલી રહેલી સંવેદનશીલ રિબેકા(પુત્રવધૂ)ની કુટુંબ ઝંખના અને પતિ-સંતાન પ્રત્યેના પ્રેમને જોઇને અદિતિનું સ્ત્રી મન પીગળે છે. પોતાનો પુત્ર બીજી સ્ત્રી સાથે સંબંધ બનાવી બેઠો છે, જેના કારણે તેમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે તે જાણી અદિતિને આઘાત તો લાગે છે; પરંતુ, સ્વસ્થ થઇ એક સ્ત્રી તરીકે રિબેકાને સાથ આપે છે અને રિબેકાની ઈચ્છા પ્રમાણે ભારતમાં કૌટુંબિક સ્વજનો સાથે રહેવાની બાંયધરી આપે છે ને તૈયારી બતાવે છે.
વાર્તાસંગ્રહની બીજી વાર્તા ‘સીમંત’માં નાયિકા લજ્જાને સંતાનસુખ નથી, જેના કારણે તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. પતિ એને બને એટલો સ્વસ્થ થવા સાથ આપે છે. આમ છતાં, તે સાસુ સસરાની અનુમતિ ન હોવાથી બાળક દત્તક લઈ શકતી નથી. લજ્જાની મા કાવેરી દીકરીની મમતાને સાચી દિશા આપવા માટે આખરે શહેરથી થોડે દૂર એક ભૂલકાગૃહમાં લઈ જાય છે. આ સ્થળે લજ્જાની માતૃત્વને તૃપ્તિ તો મળે જ છે; પરંતુ, તેનો મમતા ભર્યો વહાલ કોઈ એક બાળકને માત્ર ન મળતાં આખાં ભૂલકાગૃહના બાળકોને મળતો થાય. અહીં હતાશ લજ્જાને જીવનનો ઉદ્દેશ મળતો લાગે છે, તેથી જ તો આંધળી ખિસકોલી રમતા બાળકોને સ્મિત સાથે લજ્જા ‘મને રમાડશો?’ એમ કહી ભળે છે. સમાજને દિશા ચીંધવાના શુભ વિચાર દ્વારા વાર્તાનો સુખદ અંત આવે છે.
‘નિકષ’ વાર્તામાં દામિની જે અવિવાહિત છે. તેની જીવનસાથી મેળવવાની ઝંખનાની ઉત્પતિ અને વિચારો તરફની ગતિ માટે બનતી ઘટનાઓની તથા વાતાવરણની હારમાળા છે. કૉલેજકાળ દરમ્યાન પિતાનું અવસાન થવાથી ઘરની અને નાના ભાઈની જવાબદારી ઉપાડી લેતી, તેને ભણાવીને તેના લગ્ન પણ કરાવે છે; પરંતુ, ભાઈ મોહિત અને સ્વાતિના નવા લગ્નજીવનના પ્રેમને જોઇ આટલા વર્ષે તેને પોતાની જાત, પોતાની જરૂરિયાત- સંતોષનું ભાન થાય છે. તેથી જ તો અંતે મેરેજબ્યુરોમાં નામ નોંધાવવા તત્પર બને છે. સામાન્ય લાગતી; પરંતુ, સ્ત્રીના હ્રદયની અતૃપ્ત સંવેદનાઓને માવજતથી ઉજાગર કરે છે.
        ‘અપૂર્ણ’ વાર્તામાં ભારતીય નારીને નાનપણથી જ એમ સમજાવવામાં આવે છે કે, ‘પતિ એ જ પરમેશ્વર’. આ વિચારને મૂર્ત કરતી અપર્ણાએ આ નશાના હેંગઓવરમાં તથા પ્રેમ અને ભક્તિની બેહોશીમાં હોશ ખોઈ કેટલાય વર્ષો વીતાવી દીધા. પતિનો પડ્યો બોલ ઝીલતી અપર્ણાને તો ખબર જ ન હતી કે હાડચામડાનો બનેલો, માનવસહજ મર્યાદાઓ અને દૂષણોથી ભરેલો પતિ હોઈ શકે. તેના પતિ કાર્તિક તેનાથી કાંઈ પણ છૂપાવતો નહીં. તેથી જ તો તેના જીવનમાં આવેલી બીજી સ્ત્રીની વાત પણ કબૂલે છે. જેનાથી ક્ષતવિક્ષત થયેલી અપર્ણાને તેની અસ્તિત્વનું અને આત્મસન્માનનું ભાન થાય છે. તે ઘર છોડવાનો નિર્ણય કરે. લેખિકા નાયિકાના મુખે અદભુત વાકય બોલાવે છે, “આડંબર અને ખોટા ભપકાથી અંજાઈ ગયેલી એવી હું લાગે છે કે કુંભકર્ણની જેમ એક લાંબી નિંદ્રામાંથી જાગી છું...મારું અપર્ણા તરીકેનું અસ્તિત્વ હજી અપૂર્ણ હતું હવે કદાચ પૂર્ણ થાય!
        જે વાર્તાના નામ પરથી વાર્તાસંગ્રહનું નામ છે તે વાર્તા ‘વૅન્ટિલેટર’માં સુષ્માના મોટાભાઈ,  જેમણે માતા-પિતાના અવસાન પછી આખી જિંદગી અપાર સ્નેહ વરસાવ્યો છે તે વૅન્ટિલેટરને સહારે જીવે છે. સુષ્માને જરા જેટલી તકલીફ ન થવા દીધી, તે ભાઈને પોતે અનિલના પ્રેમમાં પડી છે અને લગ્ન કરવાની વાત છુપાવવા બદલ આખી જિંદગી આત્મગ્લાનિ અનુભવે છે. વૅન્ટિલેટરના સહારે જીવતા મોટાભાઈની તકલીફ ન જોવાતા વૅન્ટિલેટરમાંથી પોતે જ ચૂપચાપ મુક્તિ આપી દે છે.
        ‘જન્માક્ષર’ વાર્તામાં આખી જિંદગી જન્માક્ષરમાં લખેલા ભવિષ્યકથનને મૂલવતા રહ્યાં અને લખ્યાં પ્રમાણે થયું પણ ખરું. એમાં છેલ્લે લખ્યું હતું કે પાંસઠ વર્ષની ઉમરે મૃત્યુ થશે. તેથી તે જન્મદિન સુધી મૃત્યુની રાહ જોવા રહ્યાં, રાત્રે સૂતી વખતે કાલે ઉઠાશે નહીં એ ભાવનાથી સૂઈ રહ્યાં પરંતુ અહીં એ વાત ભારતીય સંદર્ભની આવે છે તે છે સતી સાવિત્રીનો. સવિતાબહેન સતી સાવિત્રીની જેમ મનીષભાઈના પ્રાણ યમની પાસેથી લઈ આવશે. તે વાસ્તવિક ભૂમિકા પર નાયકને સાચું લાગતું નથી, પણ ભારતીય દર્શનની ચાહક લેખિકા અંતમાં નાયકનો સવારે સૂર્યના દર્શન કરે છે; પરંતુ, તેમના પત્ની આંખો ખોલતા નથી. આ અંત સાથે પતિ ભક્તિ અને પતિવ્રતા પત્ની સંદર્ભે ચમત્કૃતિ દર્શાવી છે.
        ‘ખૂંધ’ વાર્તામા આશુતોષ પોતાના નામ પાછળ લાગતું માના ચારુલતા મુનશીના નામનો ભાર ઉપાડતાં ખૂંધ નીકળી છે અને નિરંતર વધતી હોય એવો અનુભવ કરે છે. આશુતોષની મા પર બળાત્કાર થયો હતો તેથી તે માતાનું અણજોઈતું સંતાન હતો, આ તેણે જાણેલું અર્ધસત્ય હતું. તેથી તેના હૃદય પર તેને આ ભાર લાગતો, પરંતુ, માની બીમારીના સમાચાર સાંભળી ત્યાં ગયાં પછી મનની સઘળી ગાંઠો ખૂલી જાય છે. તે અંગે નાયિકા કહે છે, ‘ભગવાને મારી તરફ કરેલા આ અન્યાયને સહન કરવાનું મારું સહેજેય ગજું ન હતું. આત્મહત્યા કરવાનું મન થતું હતું અને ત્યારે જ માને ખબર પડી કે મારા ઉદરમાં તારું બીજ રોપાયું હતું. એ સત્ય છે કે જયારે સ્ત્રી પર બળાત્કાર થાય ત્યારે શરીરની સાથે એનો આત્મા પણ ઘાયલ થાય છે. પરંતુ એક સત્ય એ પણ છે કે માતૃત્વ સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી બનાવે છે. બે અંતિમ છેડાના સત્યમાંથી મને મારા જીવનનું સત્ય મળ્યું...મેં માત્ર મારા શરીરથી નહીં આત્માથી પણ તને જન્મ આપ્યો છે...’(પૃ. ૭૪,૭૫)
        ‘તમે છો હજી...’ વાર્તામાં તેની નાયિકા પ્રભા જે ઘરમાં લગ્ન કરીને જાય છે ત્યાં લગ્નજીવનના થોડાક જ વર્ષોમાં તેના સસરા અપંગ બને છે ત્યાર પછી તેઓ પુત્રવધૂને જે રીતે વ્હાલ અને સ્નેહ આપે છે તે પ્રભા મતે જિંદગીનું સંભારણું છે. સ્મૃતિપટ પર જયારે ધરતીકંપની ગોઝારી ઘટનાનો પ્રસંગ ઉભરે છે ત્યારે પ્રભા વ્યાકુળ થઇ જાય છે અને પોતાની જાતને માફ નથી કરી શકતી કે ધરતીકંપ વખતે તેની આંખ સામે બિલ્ડીંગ ધરાસાયી થાય અને બાપુજી અપંગ હોવાને કારણે બહાર આવી શક્યા નહીં અને મૃત્યુ પામ્યા. આમ છતાં બાપુજી પ્રભાના આંતરમનમાંથી તો કયારેય ગયા જ નહીં. અહીં સંબંધોના નવા જ પરિમાણોને વાર્તાકાર પ્રયત્ક્ષ કરે છે.
        ‘મીતાબહેનનો ચિ.’ આ વાર્તામાં ‘ચિ.’ એટલે ‘ચિન્મય’ પુત્રને અપાર પ્રેમ કરતા માતા, પુત્રના લગ્ન કરવાના નિર્ણયને પોતાની ઈચ્છા ન હોવા છતાં અનુમતિ આપે છે. પુત્રના લગ્ન બાદ પુત્રવધૂને ઘરની જવાબદારી સોંપે છે પણ પુત્રવધૂના સત્તાશીલ સ્વાભવથી આઘાત તો અનુભવે છે, એક હદ સુધી સહન પણ કરે છે; પરંતુ જયારે વાત સંસ્કાર, સભ્યતા અને પોતાની અને પૌત્રીની લાગણીની આવે ત્યારે ફરી એકવાર ‘આ ઘર મારું છે.’ એમ કહી પોતાની ગરિમાને જાળવી રાખે છે. અહીં આ વાર્તામાં સ્ત્રી મમતાની મૂર્તિ છે તો બીજી તરફ ચંડી પણ છે, તે સાર્થક કર્યું છે.
        ‘મુક્તિ’માં બચપણના પ્રતિકૂળ સંજોગોનો ઉછેર અર્ચના પર સતત ઝબૂળ્યા કરતો અને તેનો સ્વભાવ જિદ્દી અને મનનું ધાર્યું કરનારી સ્વતંત્ર નારી છે. તે પોતાના સ્વતંત્ર નિર્ણયો કરવાની ટેવના લીધે પતિને ગાંઠતી નથી, પણ પતિ ખૂબ જ સમજદાર છે. બચપણમાં ઘોડીને ચાલી નીકળેલી મા જયારે વર્ષો પછી પત્ર લખી જિંદગીના અંતિમ દિવસોમાં પોતાની પાસે બોલાવે છે ત્યારે પતિના કહેવાથી જાય છે અને ત્યાં તેની માની પોતાની દીકરી તરફની ઝંખના જોઈ તેને આ ભઠ્ઠીમાંથી માફ કરે છે. માતાને દીકરીને અણદીઠી ભઠ્ઠીમાં નાખવાં બદલ જે દુઃખ છે તેમાંથી પણ અર્ચના મુક્તિ આપે છે અને તેની મા ત્યાં જ દેહ છોડે છે.
        ‘શ્રાવણી’ વાર્તાની નાયિકા શ્રાવણી નોકરી કરવાની ઈચ્છા લઈને મુંબઈ આવે છે. ત્યાં દીપકંર સાથે પ્રેમ થાય છે, લગ્ન કરવાની ઈચ્છા પણ છે, છતાં દીપકંરને વિદેશમાં નોકરી મળી હોવાથી વિદેશ જવા સજ્જ છે. આ બાબતે શ્રાવણી પોતાના મતા-પિતાને છોડી જવા તૈયાર નથી. તેથી દીપકંરના વેધક સવાલનો જવાબ આપતાં કહે છે કે, ‘રર કલાક પછી અહીં પહોંચીને કોલ્ડસ્ટોરેજમાં મૂકેલાં મારાં પેરેન્ટ્સનાં ડેડ બોડી જોવાની મારી તૈયારી નથી’.(પૃ.૧૨૨) એમ કહી પ્રેમનો માતા-પિતા માટે ત્યાગ કરે છે. આધુનિકયુગના સંતાનોની ઘેલછા પર અહીં જબરદસ્ત કટાક્ષ કર્યો છે.
        સેલું’ વાર્તામાં સુમેધાની માતા જન્મતાની સાથે મૃત્યુ પામી ત્યારે સુમેધાના ઉછેર ખાતર અને મોટેરાઓની દબાણને વશ થઇ જદુનાથ(સુમેધાના પિતા) સાથે લગ્ન કરે છે પણ તેના મન પરથી અણજોઇતા લગ્નનો ભાર આખી જિંદગી રહે છે તથા લગ્ન તો આર્ય સમાજની વિધિથી થયા; પરંતુ લગ્નનું ‘સેલું’ પણ નવું ન મળ્યું; ‘તે પણ પતિની જેમ ઊતરેલું જ મળ્યું’. આ રોષનો ભોગ સુમેધા બને છે પણ તે તેની માસી(મા)ની લાગણી સમજે છે પોતાની નોકરીની પહેલી કમાઈમાંથી માને ‘સેલું’ ખરીદી આપે છે, પોતાના લગ્નમાં પહેરવા. ત્યાં જ કાલિન્દીના જીવનભરના અણગમાનો ભાર ઉતારીને તે સુમેધાને દિલથી અપનાવે છે. માતૃત્વ પ્રેમ કોઈ પણ અહમ ઓગાળવા સક્ષમ છે, આ વાર્તા તેની સાબિતી આપે છે.
        ‘પરિપૂર્ણ’ વાર્તામાં નાયિકા નંદિતા લગ્ન કર્યા વિના રોહિત સાથે રહી છે એ પણ પિતાની મરજી ન હોવા છતાં રોહિત દગો દઇ ચાલતો થાય છે. પિતા આ નિરાશા ભર્યા સમયમાંથી નંદિતાને બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કરે છે, સમજાવે છે પણ આખરે નંદિતા જ દગો દેનારા રોહિતનો સામાન વાર્તામાં અંતમાં કચરો લેવા આવનાર જમાદારને આપી સ્મૃતિઓ ખંખેરી દે છે, નવા જીવનની રાહ પર.
        ‘ભઠ્ઠી’ વાર્તામાં ઇતિહાસના પ્રોફેસર રફીકના અનુસંધાને લેખિકાએ ભાવનાને સાહિત્યના માધ્યમ દ્વારા પ્રસારિત કરી છે. આ ઉત્કૃષ્ટ ભારતીય ભાવના સાથે રમખાણોનું વાતાવરણ આવે, આદર્શ જીવન અને ચરિત્ર ધરાવતા પ્રો. રફીકના એક રાતની એક નબળી ક્ષણના લીધે મનોરમા એ સલમા બને છે. એ હિંદુ છોકરી રફીકની વાસનાઓ ભોગ બની અને પછી જો કે રફીકે પાપ કર્યું છે અને તેના પ્રાયશ્ચિતરૂપે લગ્ન કર્યા. મનોરમાએ મુસ્લિમ ધર્મ સ્વેસ્છાએ અંગીકાર કર્યો અને સલમા બની પણ પેલી જિંદગી પલટી નાખનારી ઘટનાનો રોષ નમાજ પઢતી વખતે તેની આંખોમાં દેખાય છે તે આજેય રફીક સહી શકતો નથી. હવે તેમની દીકરી માસૂમ પણ હિંદુ યુવક સાથે લગ્ન કરવાની છે, ત્યારે રફીકના મનમાં ધર્મભેદનો ડર જન્માવે છે, તેથી જ લેખિકા વાર્તામાં બોલાવે છે, ‘ધર્મની દીવાલ કેટલી ઊંચી અને કેટલી ખરબચડી હોય છે તે સમજાતી નથી. એ તો જાણે એ દીવાલ ચડી-ચડીને ઓળંગી હોય એ જ જાણે. શરીર અને આત્મા બંને ઠેક-ઠેકાણેથી છોલાઇ જાય છે’.(પૃ.૧૫૧) આ વાત દ્વારા સ્ત્રીની લાચારી અને આંખોમાં સળગતા અણઈચ્છિત જિંદગીના અંગારાને સ્થાન આપ્યું છે. સ્ત્રીની સહનશક્તિ અપાર છે. આજ શક્તિથી તે વાણી-વર્તન દ્વારા વ્યક્તિને સળગાવી પણ શકે છે. જે દેખાય છે લેખિકાના શબ્દોમાં, ‘કેટલાંક વર્ષોથી એ સલમાની આ ઠંડી ઉપેક્ષા અને ઓરમાયું વર્તન સહન કરી રહ્યાં હતાં... છાતીમાં નિરંતર સતત એક ભઠ્ઠી સળગ્યાં કરતી હતી અને એ સળગતી ભઠ્ઠીના અંગાર સલમાનું જીવન હતાં’.(પૃ.૧૫૮)
        ‘કોશેટો’ વાર્તામાં મોટીબહેન રાજવીના સાનિધ્યમાં પોતાનો અલગ નિર્ણય ન લઈ શકતી નાનીબહેન વનિતાની વાત છે. વનિતાના જીવનમાં રાજવીના હસ્તક્ષેપને લીધે તેનું લગ્નજીવન ભાંગે છે, પુત્ર મનસ્વીથી તે દૂર થાય છે, વર્ષો પછી પૌત્ર પિન્ટુ અને પતિને ફરી મળે છે, હવે પતિ-સંતાન તેની ભાવના સમજી તેને પાછા ઘરે આવવા વીનવે છે ત્યારે આ વનિતા નામનું નારી હૃદય પોતાની બહેનની અકથ્ય એકલતાને ઓળખે છે જેને લીધે હવે તે ચોરીછૂપીથી પોતાના સ્વજનોને મળવા આવવા તૈયાર છે પણ પોતાની બહેન રાજવીનો સાથ છોડવા તૈયાર નથી. અહીં આ વાર્તામાં લોહીના સંબંધો લાગણીમાં તણાતા જણાય છે. આ વાર્તા લાગણીશીલ વનિતાની છે તો નારીવાદી અભિગમ દર્શાવતી રાજવીની પણ છે.
                શેષ સંબંધ’ વાર્તામાં સ્ત્રીના આક્રોશનો ભોગ બનતો પતિ અવિનાશ અને પોતાના હક્કો વિશે જાગૃત અવનીની ગુસ્સા પર કાબુ ન હોવાને કારણે ઘરનો ત્યાગ કરતી, પતિના લાખ પ્રયત્ન છતાં પાછી ઘરે ન ફરતી, પુત્રને પોતાની સાથે લઈ જતી અવનીને તેનો પુત્ર વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે તેણે ત્યજી દીધેલો એ જ પતિ તેને પોતાની સાથે લઈ જવા વર્ષો પછી પાછો આવે છે ત્યારે અનુભવેલી ભાવવિભોર લાગણીને હળવાશ ભર્યા સંવાદોથી વાચા મળી છે.
        આ સંગ્રહની છેલ્લી વાર્તા ‘સુવર્ણદીપ’માં પિતા પોતાનો વેપાર-ધંધો આગળ વધારવા પોતાની દીકરીને જ મંત્રીને ત્યાં મોકલે છે. દીકરી સોનું આવા ખોટા કામ કરવા તૈયાર નથી; ત્યારે તે પિતાના બદઇરાદા પર કટાક્ષ વ્યકત કરતા કહે છે, ‘પ્રકાશિત થવા માટે સુંદરતાનો ભોગ લેવો તો જરૂરી નથી’.(પૃ.૧૮૫) એવી પુત્રી તરીકે પિતાને સાચી વાત સંભળાવી દેવાની હિંમત રાખે છે. પોતાના રખડેલ મિત્રોએ ભેગા થઇને જે નાનકડા ધંધો શરૂ કર્યો છે તેને આગળ વધારવાનું કાર્ય કરવાનું સોનું નક્કી કરે છે. તે પિતાની ધમધોકાર ચાલતી ઇન્ડસ્ટ્રીઓને જાકારો આપે છે. તેમાં સહજતાથી માતાના અસ્તિત્વને પણ માન આપવી સાંકળી લેતા કહે છે, ‘મોમ પણ અમને હેલ્પ કરશે..’ પિતા માની નિરર્થકતાની હાંસી ઉડાવે છે, ત્યારે જવાબમાં સોનું કહે છે કે, ‘કયારેક કોઈવાર જો નાસીપાસ થઇને કોઈ ખોટું કામ કરવા અમારા પગ ઊપડી જાય, અમે રસ્તો ભૂલી જઈએ તો એ અમને રોકશે, અમારા કાન આમળશે, અમારું ધ્યાન રાખશે... ખરું ને મોમ?’(પૃ.૧૯૨)
        નારીજીવન તેના અનુભવતાં સ્પંદન અને નારીવાદી વલણની તીવ્રતા આ બંને આ વાર્તાસંગ્રહમાં જુદા જુદા તરતા દેખાય. પાત્રો કયાંક કયાંક નારીવાદી વલણ અપનાવે, પ્રતિરોધ કરતા જણાય, સંઘર્ષ અનુભવે; પરંતુ, આખરે તો બધું સંવેદનાના શાંત પાણીમાં સમાય જતું જ લાગે. જેમકે, ‘સેલું’ વાર્તાની કાલિન્દીને બનેવી સાથે પરણવું પડ્યું, ત્યારે પ્રતિરોધ- સંધર્ષ થાય, પ્રશ્નો થાય, રોષ ઉત્પન્ન થાય; પરંતુ, નાની સુમેધાને રડતા કે સુમેધાનો અનાદર કરવા છતાં છેલ્લે સુમેધાની પ્રેમની લાગણીમાં તણાયને તેનું વહાલ નારીવાદી વલણને સાવ ઓગળીને પાત્રને ભારતીય નારીના પ્રવાહમાં ગોઠવી દેય.
        સ્ત્રીનું જીવન આર્થિક, સામાજિક, શારીરિક, કૌટુંબિક એવાં કેટલાંય પડકારો ઝીલીને પણ અડીખમ ઉભું છે. પ્રશ્ન થાય શા માટે.? મોટી કંપનીઓની સૂત્રધારથી લઈ ફક્ત પોતાના ઘરની સૂત્રધાર બનતી ગૃહિણી સુધી વિવિધ રંગો તેના જીવનના અનુભવાતા હોવા છતાં બધી સ્ત્રીઓ એક જ વેવલેકથ પર કેમ જીવે છે? આ તરંહના બધા પ્રશ્નોના જવાબમાં એ જ જરૂર કહી શકાય કે સ્ત્રી પ્રેમ કરવાનું છોડી શકતી નથી. પછીએ વાર્તાસંગ્રહની વિદેશી સ્ત્રી રિબેકા, બાળકને ઝંખતી લજ્જા, કોઈનો સાથ ઈચ્છતી દામિની, પોતાના અસ્તિત્વની ખોજમાં નીકળતી અપર્ણા મોટાભાઈ પ્રત્યેના અહોભાવને લીધે મનોમંથન કરતી સુષ્મા, પતિના મૃત્યુને સાવિત્રીની જેમ ઓઢી લેતી સવિતા, બળાત્કારની વેદના પછી ફૂલરૂપ પુત્રને સહેલાવતી ચારુલતા, સસરાની સાથેના લાગણીના સંબંધોની સ્મૃતિમાં જીવતી પ્રભા, મા અને ઘરની કર્તાહર્તા તરીકે પોતાની ગરિમાને પુન:પ્રાપ્ત કરતી મીતાબહેન, માના અભાવે રોષમાં જીવતી સ્વતંત્ર નિર્ણય કરવા સક્ષમ નારી અર્ચના, માતા-પિતા માટે પોતાના પ્રેમનું બલિદાન આપતી શ્રાવણી, સ્ત્રીના મનને સચોટ રીતે પારખતી સુમેધા, જીવનના પૂર્ણવિરામ-અલ્પવિરામ વચ્ચે પ્રેમ અને હૂંફને ઝંખતી નંદિતા, આંખો દ્વારા જિંદગીભરનો શેષ પ્રગટ કરતી સલમા, મોટી બહેનની આભાના કોશેટોમાં આખી જિંદગી કેદ થઇને રહેતી વનિતા, ગુસ્સાને લીધે ઘર છોડી જતી આધુનિક નારી જે જીવનસંધ્યાએ પાછી ફરતી અવની, પિતાના બદઇરાદાને પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વથી ડામી દેતી સોનું અને રસ્તો ભૂલેલાને પ્રેમાળ વર્તનથી માર્ગ બતાવતી માલિની જ કેમ ન હોય! નારી-સ્ત્રી ગમે તે યુગમાં ગમે તેટલી પ્રગતિ કરે, સમય સંજોગ પ્રમાણે કઠોરતા ધારણ કરે, સ્વતંત્ર નિર્ણય કરવા સક્ષમ હોવા છતાં આખરે તો સ્પંદનોના ઘરની માલિક જ રહેવાની. આ વાર્તાસંગ્રહમાં સ્ત્રી ફક્ત આધુનિક નારી બની ન રહેતા, ભારતીય નારીના સ્નેહ, ત્યાગ, પ્રેમ, સમપર્ણ જેવા તત્વોની ઝાંખી કરાવતી રહે છે. સંઘર્ષ નારીના જીવનની ભૂમિકા છે, તો મક્કમતા અને સંવેદના તેનું શરત. તે જયારે ઈચ્છે ત્યારે સપ્રમાણ અને તટસ્થપણે તેનો ઉપયોગ કરી શકે, પોતાની, પરિવાર, સમાજ અને સંસ્કૃતિની મુક્તિ માટે.
        નારી શક્તિનો મહિમા આ તમામ વાર્તાઓમાં વિવિધ રંગો દ્વારા ચિતયૌ છે. એમ નથી કે, દર વખતે પોતાના અસ્તિત્વની ચિંતામાં નારી ઉગ્ર બને, નારીવાદી અભિગમ અપનાવે, પુરુષને ધિક્કારે, પુરુષ જાતિ પ્રત્યે અણગમો રાખે, આ પ્રકારનું સુંદર ઉદાહરણ આ વાર્તાઓ છે. જેમાં ‘શેષ સંબંધ’નો અવિનાશ, ‘કોશેટો’નો સુધીર, ‘ભઠ્ઠી’ વાર્તાનો રફીક, ‘મુક્તિ’નો વિનય, ‘વૅન્ટિલેટર’ના મોટાભાઈ કે પછી ‘સીમંત’નો વેદાંત જેવા પુરુષ પાત્રો સ્ત્રીને માન આપતા, તેના અસ્તિત્વને સ્વીકારતા અને તેને આગળ લઈ જવા સહયોગી બનતા સમજદાર અને તેને આગળ લઈ જવા સહયોગી બનતા સમજદાર પાત્રો પણ આવે. આખા સંગ્રહમાં મોટાભાગની બધી વાર્તામાં સ્મૃતિપટની પ્રયુક્તિનું સામ્રાજ્ય જણાય છે. ફલેશબેકમાં વાર્તા કહેવાતી હોય. ઘણીવાર વાર્તામાં ભૂતકાળ અને વર્તમાનકાળ બંને એક સાથે એક જ ટ્રેક પર ચાલતા હોય અને ભાવકને હંમેશા જાગૃત રાખે, વચ્ચે કયાંક ઘટનાને ચોટ મળતી રહે, ઘટનાઓ ઉતાર-ચઢાવ સાથે ભાવકની આંખ સામેથી પસાર થતી રહે છે. ભાષાના લહેકા બધી વાર્તાઓમાં એક સમાજ જ રહેતા લાગે, જાણે બધા પાત્રો અલગ નથી પણ બધા અનુભવો લેખિકાના પોતાના જ છે, એક જ નાયિકા છે, આખા સંગ્રહની તે રેણુકા પટેલ. છેલ્લે કોઈ બિંદુએ નજર કરે એમ વાર્તા અંતમાં અચાનક કરી જાય.
        આમ, આ વાર્તાસંગ્રહ અનુઆધુનિક નારીવાદી વલણ કરતા નારીજીવનના વિવિધ તબક્કા-સ્તર અને જીવનના વિવિધ પરિમાણીય દર્શ્યોને અલગ-અલગ વાર્તા દ્વારા સાહિત્યના મંચ પર ઊભા કરી આપે છે.
-હેતલ ગાંધી

Saturday, 14 November 2015

Be alive...

एक राजा के पास कई हाथी थे,
लेकिन
एक हाथी बहुत शक्तिशाली था,
बहुत आज्ञाकारी,
समझदार व युद्ध-कौशल में निपुण था।
बहुत से युद्धों में वह भेजा गया था
और वह राजा को विजय दिलाकर वापस लौटा था,
इसलिए वह महाराज का सबसे प्रिय हाथी था।

समय गुजरता गया  ...

और एक समय ऐसा भी आया,
जब वह वृद्ध दिखने लगा।

                    
अब वह पहले की तरह कार्य नहीं कर पाता था।
इसलिए अब राजा उसे युद्ध क्षेत्र में भी नहीं भेजते थे।

एक दिन वह सरोवर में जल पीने के लिए गया, लेकिन वहीं कीचड़ में उसका पैर धँस गया और फिर धँसता ही चला गया।

उस हाथी ने बहुत कोशिश की,
लेकिन वह उस कीचड़ से स्वयं को नहीं निकाल पाया।

उसकी चिंघाड़ने की आवाज से लोगों को यह पता चल गया कि वह हाथी संकट में है।

हाथी के फँसने का समाचार राजा तक भी पहुँचा।

                       राजा समेत सभी लोग हाथी के आसपास इक्कठा हो गए और विभिन्न प्रकार के शारीरिक प्रयत्न उसे निकालने के लिए करने लगे।

जब बहुत देर तक प्रयास करने के उपरांत कोई मार्ग नहीं निकला तो राजा ने अपने सबसे अनुभवी मंत्री को बुलवाया।

मंत्री ने आकर घटनास्थल का निरीक्षण किया और फिर राजा को सुझाव दिया कि सरोवर के चारों और युद्ध के नगाड़े बजाए जाएँ।

                          सुनने वालोँ को विचित्र लगा कि भला नगाड़े बजाने से वह फँसा हुआ हाथी बाहर कैसे निकलेगा, जो अनेक व्यक्तियों के शारीरिक प्रयत्न से बाहर निकल नहीं पाया।

          आश्चर्यजनक रूप से जैसे ही युद्ध के नगाड़े बजने प्रारंभ हुए, वैसे ही उस मृतप्राय हाथी के हाव-भाव में परिवर्तन आने लगा।

पहले तो वह धीरे-धीरे करके खड़ा हुआ और फिर सबको हतप्रभ करते हुए स्वयं ही कीचड़ से बाहर निकल आया।

अब मंत्री ने सबको स्पष्ट किया कि हाथी की शारीरिक क्षमता में कमी नहीं थी, आवश्यकता मात्र उसके अंदर उत्साह के संचार करने की थी।

हाथी की इस कहानी से यह स्पष्ट होता है कि यदि हमारे मन में एक बार उत्साह – उमंग जाग जाए तो फिर हमें कार्य करने की ऊर्जा स्वतः ही मिलने लगती है और कार्य के प्रति उत्साह का मनुष्य की उम्र से कोई संबंध नहीं रह जाता।

                        जीवन में उत्साह बनाए रखने के लिए यह आवश्यक है कि मनुष्य सकारात्मक चिंतन बनाए रखे और निराशा को हावी न होने दे।

कभी – कभी निरंतर मिलने वाली असफलताओं से व्यक्ति यह मान लेता है कि अब वह पहले की तर कार्य नहीं कर सकता, लेकिन यह पूर्ण सच नहीं है।



Friday, 13 November 2015

Universal Truth

एक प्राचीन मंदिर की छत पर
कुछ कबूतर राजी खुशी रहते थे।

जब वार्षिकोत्सव की तैयारी के लिये मंदिर का जीर्णोद्धार होने लगा तब कबूतरों को मंदिर छोड़कर पास के चर्च में जाना पड़ा।

चर्च के ऊपर रहने वाले कबूतर भी नये कबूतरों के
साथ राजीखुशी रहने लगे।

क्रिसमस नज़दीक था तो चर्च का भी रंगरोगन शुरू हो गया। अत: सभी कबूतरों को जाना पड़ा नये ठिकाने की तलाश में। किस्मत से पास के एक मस्जिद में उन्हे जगह मिल गयी और मस्जिद में रहने वाले कबूतरों ने उनका खुशी-खुशी स्वागत किया।

रमज़ान का समय था मस्जिद की साफसफाई भी शुरू हो गयी तो सभी कबूतर वापस उसी प्राचीन मंदिर की छत पर आ गये।

एक दिन मंदिर की छत पर बैठे कबूतरों ने देखा कि
नीचे चौक में धार्मिक उन्माद एवं दंगे हो गये। छोटे से कबूतर ने अपनी माँ से पूछा " माँ ये कौन लोग हैं ?"

माँ ने कहा " ये मनुष्य हैं"।
छोटे कबूतर ने कहा " माँ ये लोग आपस में लड़ क्यों रहे हैं ?"  माँ ने कहा " जो मनुष्य मंदिर जाते हैं वो हिन्दू कहलाते हैं, चर्च जाने वाले ईसाई और मस्जिद जाने वाले मनुष्य मुस्लिम कहलाते हैं।"

छोटा कबूतर बोला " माँ एसा क्यों ? जब हम मंदिर में थे तब हम कबूतर कहलाते थे, चर्च में गये तब भी कबूतर कहलाते थे और जब मस्जिद में गये तब भी
कबूतर कहलाते थे, इसी तरह यह लोग भी मनुष्य कहलाने चाहिये चाहे कहीं भी जायें।"

माँ बोली " मैनें, तुमने और हमारे साथी कबूतरों ने उस एक प्राकृतिक सत्य का अनुभव किया है इसलिये हम इतनी ऊंचाई पर शांतिपूर्वक रहते हैं।

इन लोगों को उस एक प्राकृतिक सत्य का अनुभव
होना बाकी है , इसलिये यह लोग हमसे नीचे रहते हैं और आपस में दंगे फसाद करते हैं।"

Wednesday, 28 October 2015

જીવનનો આનંદ લો

એક આખું ગ્રુપ કોલેજ
છોડ્યાના ઘણા વર્ષો પછી
પાછું ભેગું થયું.
બધાજ મિત્રો સેટ હતા અને
ઘણા પૈસા કમાઈ રહ્યા હતા.
એ લોકો પોતાના ફેવરેટ
પ્રોફેસરના ઘરે ભેગા થયા.
પ્રોફેસર સાહેબે એમના
કરીયર વિષે પૂછ્યું
ધીરે ધીરે વાત જીવન માં
વધતા સ્ટ્રેસ અને કામ ના
વધતા પ્રેશર પર આવી ગઈ.
આ મુદ્દા પર બધાજ એકમત હતા,
ભલે એ હવે આર્થિક રીતે ઘણા
મજબુત હતા પણ હવે
એમના જીવનમાં એ મજા,
સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.
પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી
વાત સાંભળી રહ્યા હતા,
એ અચાનક ઉભા થયા અને
કિચનમાં જઈને પાછા આવ્યા
અને બોલ્યા,,
'ડીયર સ્ટુડન્ટ'
હું તમારા બધા માટે ગરમા ગરમ
'કોફી' બનાવીને આવ્યો છું,
પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને
પોત-પોતાના માટે 'કપ' લેતા આવો.
છોકરાઓ ઝડપથી અંદર ગયા
ત્યાં જાત જાતના કપ મુક્યા હતા,
બધાજ પોતાના માટે સારામાં સારો
કપ શોધવા લાગ્યા.
કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ
ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.
બધાના હાથમાં કોફી આવી ગઈ
પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,
"જો તમે ધ્યાન આપ્યું હોય તો,
જે કપ દેખાવમાં શાનદાર અને
મોઘાં હતા તમે એજ કપ લીધા છે,
સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી."
જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ
વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે,
ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં
સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે..
ફ્રેન્ડસ, એતો પાક્કું છે કે કપ
કોફીની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો,
એ તો બસ એક સાધન છે
જેના માધ્યમથી તમે કોફી પીવો છો.
અસલમાં તમને જે જોઈતું હતું
એ માત્ર કોફી હતી, કપ નહિ.
છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા,
અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને
નિહાળવા લાગ્યા.
હવે એક વાતને દયાનથી સાંભળો,
"આપણું જીવન કોફી સમાન છે,
આપણી નોકરી, પૈસા,
પોઝીશન કપ સમાન છે.
એ બસ જીવન જીવવાના સાધનો છે
ખુદ જીવન નહિ... અને
આપણી પાસે કયો કપ છે
એ ના તો આપણા જીવન ને
ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે.
કોફી ની ચિંતા કરો, કપ ની નહિ...
દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી
જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે,
પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વ શ્રેષ્ઠ
ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે,મોજ માણે છે, અને ભરપુર જીવન જીવે છે.

*સાદગી થી જીવો,
*સૌને પ્રેમ કરો,
*સૌનો ખ્યાલ રાખો,
*જીવન નો આનંદ લો.
*એકબીજા સાથે
જોડાયેલા રહો.
*આ જ સાચું જીવન છે.