Book Review

વાર્ધક્યની કરુણાને વાચા આપતું એકાંકી નેજવાની છાંય તળે


        ડો. સતીશ વ્યાસના એકાંકીસંગ્રહ નો પાર્કિંગનું છેલ્લું સફળ એકાંકી નેજવાની છાંય તળેમાં વાર્ધક્યના કપરા દિવસોમાં જીવન જીવવાની વ્યથા-કથાને વાચા મળી છે. આ ઉત્કૃષ્ટ અને પ્રભાવશાળી એકાંકીને હરિકૃષ્ણ પાઠકની પંક્તિનું શીર્ષક મળ્યું છે. ત્રણ દ્રશ્યોના આ એકાંકીમાં પાત્રો કેવળ બે જ, વૃદ્ધ અને વૃદ્ધા. આ એકાંકીમાં લેખકે તેમના નામ સુધ્ધાં આપ્યા નથી,(એક જગ્યાએયમુના, આઈ લવ યુમાં વૃદ્ધાના નામનો ઉલ્લેખ છે.) છતાં યાદગાર પાત્રોની રચના કરી છે. જેના દ્વારા જગતના દરેક વૃદ્ધાવસ્થા ભોગવી રહેલા વ્યક્તિઓની સંવેદનાને સાંકળી લેવાનો હેતુ હોય શકે.
         અહીં આ એકાંકીમાં વાર્ધક્યના કપરા દિવસોની એકવિધતાથી ઉબાઈ ગયેલા વૃદ્ધ અને વૃદ્ધા પોતાના કંટાળાજનક અને કરુતાભર જીવનમાંથી માર્ગ કાઢતા પોતાના આખા દિવસને ટાઈમ ટેબલમાં ગોઠવીને હળવું બનાવવાની કોશિશ કરે છે. વૃદ્ધા સવારે ચારેક વાગ્યે ઉઠી જઈ આંટા મારે અને પછી થોડીવાર પલંગમાં પડ્યા પડ્યા વૃદ્ધ- વૃદ્ધા થોડી વ્યર્થ ચર્ચા કરી પોતાની દૈનિક ક્રિયાઓ શરૂ કરે. પહેલા દ્રશ્યમાં ઊંઘ તો ઊડી જ ગઈ છે ને આ બારણેથી.(પૃ.118) આ વાક્ય આ વૃદ્ધોની અધૂરી ઝંખના અને તેમાં મળેલી નિરાશાનું કાકુ રજૂ કરે છે.
            દ્રશ્ય બદલાય છે અને વૃદ્ધા તો તૈયાર થઇને બેઠી છે જ્યારે વૃદ્ધ ટુવાલ પકડી બહાર આવે છે. ત્યાં આવતો તે બંને વચ્ચેનો સંવાદ જોઈએ તો,
વૃદ્ધા : તમે તો ઝડપથી નાહીને આવો છો, એવી તો શી ઉતાવળ છે ?....
વૃદ્ધ : કેટલાય પ્રયાસ કરું છું લાંબો સમય કાઢવા પણ.....(પૃ.118) કે પછી જમતી વખતનો સંવાદ જેમાં વૃદ્ધા વૃદ્ધને કહે કે, જમ્યા પછી પણ શું કરશો? એનાં કરતાં થોડી વાર લગાડીને નિરાંતે સમય કાઢો તો?”(પૃ.120)
અહીં તેમની લાંબી લાગતી જિંદગી સહેલાથી જતી નથી તેથી તેને એક ટાઈમ-ટેબલમાં ઢાળીને દીવાલ પર ચોંટાડી રાખ્યું છે. એ પરથી તો સમજી શકાય કે પહેલા ઘરની જવાબદારીમાં બંનેને સમય પસાર થવાની ખબર ન પડી પણ હવે જ્યારે જિંદગીનો આખરી પડાવ નજીક છે ત્યાં સ્વજનોના સાથ વગર જિંદગી લાંબી લાગે છે. વૃદ્ધા એક હાથે લગભગ નિષ્કિય(લખાવગ્રસ્ત) છે, વૃદ્ધ એક પગે લંગડાય છે અને યાદ શક્તિ સાથ છોડતી જાય છે  ત્યારે ગમ્મત સાથે જિંદગી જીવવા જે ટાઈમ-ટેબલ બનાવે છે ત્યાં જ આ એકાંકીનું શીર્ષક જડે છે. ત્યાં કૌંસમાં લેખક લખે છે, દીવાલ પર એક મોટા ટાઈમ-ટેબલ ઉપર નેજવું કરીને વૃદ્ધ  નજર માંડે પછી ફરીને...(પૃ.119)
        આ દરમ્યાન ટિફિન આવે, પોતાની તબિયત અને પ્રકૃતિ સાથે લાચારીનો મેળ બેસાડી જમી લઈ આરામ કરે. થોડીવારમાં જ વૃદ્ધા સફાળી જાગી ઉઠી જેને ભૂતકાળને અજાગ્રત મને વ્યક્ત કરે અને કહે : “શું કોઈએ મારા દીકરાને માર્યો તો નહિ હોયનેને સોહન તો નાજુક છે ! શું કરતો હશે? ડાયાબિટીસ તો નહિ હોયને એને! કાગળ તો લખતો જ નથી. ભારે આળસુ. એનો લાલુ પણ હવે તો મોટો થઇ ગયો હશે ! (પૃ.120) આ વાકયોમાં પુત્રને ખોવાની વેદના મુખર રીતે વ્યક્ત થઇ છે સાથે માનો પુત્ર ગમે તેટલો દૂર અને લાગણી વગરનો હોય પણ મા માટે તો સર્વસ્વ હોય છે તે લાગણી ઘૂંટાયેલી જોવા મળે છે. પછી વૃદ્ધ તે જોતાં સ્વગત બોલે છે કેતને કેવી રીતે સમજાવવી કે સોહન તો ક્યારનોય....! ને એનાં લગ્ન પણ ક્યાં થયાં હતાં તે….”(પૃ.121) આ સંવાદમાં વૃદ્ધાના કહેવા પ્રમાણે દીકરો સોહન છોડીને ચાલ્યો યો લાગે પણ વૃદ્ધના સંવાદમાં દીકરો હયાત ન હોય તેમ પ્રતીત થાય છે. આ ગૂઢ રહસ્ય લેખક છેલ્લે સુધી એકાંકીમાં અકબંધ રાખે છે. ત્યારબાદ ટાઈમ-ટેબલ પ્રમાણે બંને પ્રેમ અને રોષના અભિનય દ્વારા ટાઈમ પાસ કરવાની કોશિશ કરે.
        દ્રશ્ય ત્રણ શરૂ થાય ને બારણું ખખડેચા આવી છે. આવી રેઢિયાળ જિંદગીમાં કયો વાર ક્યારે આવે એ યાદ રાખવાની અનોખી રીત વિકસાવી અનુભવાય જેમકેઆજે આ તુલસીવાળી ચા ન આવી તુલસીવાળી ચા બુધવારે જ મળે છેગઈ કાલે ફુદીનાવાળી હતી – મંગલવારની. અને ગુરુવારે આદુવાળી.(પૃ.125) અહીં એક વાત જે આજના યુગમાં દરેક વૃદ્ધાશ્રમે પહોચેલા વૃદ્ધોએ ગાંઠવાળી લેવા જેવી છે તે, દીર્ઘદ્રષ્ટિના આયોજનથી યુવાન વયે પૈસાનું રોકાણ કરી અને કરકસરથી બચત કરી પૈસા સાવવાની છે. જેથી વૃદ્ધાઅવસ્થા દરમ્યાન નિરાંતે જીવી શકાય અને પૂરતી સુખ-સગવડ મળી રહે.
        આ પછી ટાઈમ-ટેબલ પ્રમાણે સરપ્રાઇઝ આઇટમ વૃદ્ધા રજૂ કરેઅને તેમાં પણ માતૃત્વની ઝંખના તારસ્વરે જણાય. આવનારા સંતાનોના નામ સુદ્ધાં એ આઇટમમાં પાડી દેવાઈ. પણ અચાનક વૃદ્ધાની ભાવ મુદ્રામાં પરિવર્તન આવતા પુકારી ઊઠે, ઓહ સોહન! તું ક્યાં જતો રહ્યો ? કેમ તારો કોઈ પત્ર આવતો નથી ? કેમ? કેમ તું અમને આમ ઘડપણમાં ટટળાવી રહ્યો છે ? દયા જ નથી આવતી તને તારાં માવતરની ? તને આજ દિન સુધી લાડ લડાવી મોટો કર્યો ને છેવટે તે જ અમને દગો દીધો ? જરાક તો લાજશરમ જેવું રાખ. ક્યારેક તો ખબર લે તારાં આ ઘરડાં મા-બાપની ?”(પૃ.127)
અહીં દગો કે લાજશરમ જેવા શબ્દો પુત્ર તરફની નફરતને રજૂ કરે છે. તેથી એમ માની શકાય કે પુત્ર તછોડીને ચાલ્યો ગયો લાગે છેજો પુત્ર હયાત ન હોત તો પુત્ર પર આક્ષેપ તો મા ન જ લગાવે. તેમાં કુદરત કે નસીબ પરત્વે રોષનું કઈક ચિન્હ તો જણાય જ.
        આ અજાગ્રત મનની અવસ્થામાંથી બહાર નીકળ્યા પછી તેઓ ગીત ગાય. કોલેજની સ્મૃતિઓ વગોળે, એક બીજાની સેવા કરે. પરંતુ આ વાત તેમને તેમના મૃત્યુ સુધી ખેંચી જાય. વૃદ્ધા માટે વૃદ્ધ પહેલા મરવું જ સૌભાગ્ય કહેવાય. પણ તેના પછી વૃદ્ધની શૂન્યમય બની જતી સ્થિતિનું પણ વૃદ્ધાને ભાન થાય, વિહવળ બની જાય. ઘડપણની એકલતા ભરી સ્થિતિમાં એકબીજાને સહારે જીવતું દંપતી કોઈએકની પ્રથમ વિદાય જીરવી શકતું ન હોવાથી એક સાથે વિદાય લેવાનું વિચારે છે.
        સાંજનું ટિફિન અંદર લાવે અને  વૃદ્ધના સૂચનથી વૃદ્ધ કબાટમાંથી ઝેરની શીશી કાઢી, વૃદ્ધા ખાદ્યસામગ્રીમાં એ ગોળીઓ ભેળવી દઈ બંને હસતાં હસતાં ઓગાળે અને પ્રસન્ન ચિત્તે આરોગે. ત્યાં જ રંગમંચ અને બંનેના જીવન પર પરદો પડે.
         ટાઈમ-ટેબલ પ્રમાણે ઘરની સફાઈજમવાનું, પ્રેમ કરવાનુંકાલ્પનિક સરપ્રાઇઝ આઈટમ રજૂ કરવાનુંસંસ્કૃતિક કાર્યક્રમ કરવાનું એ બધું એમની વર્તમાનની ક્ષણોને ભૂતકાળના અનુભવ અને સ્મૃતિઓથી ભરી દેવાની પ્રવૃતિઓરૂપે ચાલ્યા કરે અને સાથે પોતાના ભૂતકાળની વેદનાનો ચિતાર ભાર વગર પ્રેક્ષકને મળતો જ રહે. અને અંતે એમના અન્યોન્યના સહવાસની સભરતા જ એમને પૃથ્વી પરથી એકસાથે વિદાય લેવા પ્રેરે છે.
        દિવસની પ્રત્યેક ક્રિયાઓમાં આ વધુમાં વધુ સમય ગાળીને પસાર કરવાની મથામણમાં ઉદભાવતા સંવાદો ઘણીવાર રમૂજ ઉત્પન્ન કરે છે. સાથે આ સંવાદોઓના માધ્યમ દ્વારા એકાંકીની ટ્રેજડી કહો કે  સમસ્યા ઊધડતી જોવા મળે છે.
- તમારા ઘોઘરાથી હુંયે બી જવાની નથી હા !’
- બોલ્યા કાઢી મૂકીશ પછી રહેશો હાથ ઘસતા ને આવશો વાંકા રહીને.
- શું ઘેલા કાઢો છો ?
- મ ક્યાં સુધી ચાલશે, આપણું આ ડમણિયું !
- ને આ રેઢિયાળ ઘડપણમાં બળ્યું છે શું ?’
આ પ્રકારના ટૂંકા વાક્યો એકાંકીમાં અભિનયની મોકળાશ સાથે પ્રેક્ષકને હળવાશ ઉપરાંત આ ધારદાર સંવાદો વાર્ધક્યની કરુણતાભરી સ્થિતિને બખૂબી ચિત્રિત કરી આપે છે. ઘણીવાર આ સંવાદો આપણને મુખર બની જતાં લાગે પણ સાચી પરિસ્થિતિ સાથે માતા-પિતાના પુત્રની નિંદા ન કરવાનાં સ્વભાવને એકાંકીના અંત સુધી જાળવી રાખે છેજેથી તો આપણે પુત્રના દૂર જવાનું કારણ કળી શકતા થી. આમ, એક જ રૂમમાં ભજવી શકાય એવું આ એકાંકી વિવિધ રસોને પોતાનામાં સમાવીને અભિવ્યક્ત થાય છે.
        રાજેન્દ્ર શાહના યુવાન વયે લખાયેલી આયુષ્યના અવશેષો સૉનેટમાળામાં વૃદ્ધાવસ્થાની સંવેદનાઓને ઉત્કૃષ્ટ રીતે આલેખાય છે તેવી જ રીતે સતીશ વ્યાસ 45 વર્ષે જેટલી જ ઉમરે વૃદ્ધાવસ્થાની એકલતા, સમાજમાં વૃદ્ધોના સ્થાન અને તેની વાસ્તવિક સંવેદનને ઝીણવટપૂર્વક તપાસી ભાવક સમક્ષ ખૂબીથી આલેખે છે.
        આ એકાંકીના પાત્રો જીવનથી સંતુષ્ટ છે છતાં મૃત્યુ પહેલા આમેય આપણે પૂર્ણ રીતે જીવન માણ્યું છે, હવે કશો જ સંતોષ નથી. ને આ રેઢિયાળ ઘડપણમાં બળ્યુંય છે શું ?’(પૃ.127) તેમ કહે છે. જીવનની સંતાન પ્રત્યેની અધૂરપ છતાં વ્યર્થ પ્રયત્નમાં તરફડે છે.
        INTના ઘણીવાર ભજવાય ચૂકેલું આ એકાંકી નટ અને નટી પાસે અભિનયની ભરપૂર ક્ષમતા માંગી લે તેવું છે. આ એકાંકી, દ્રશ્યો અને વસ્તુસંકલનના કારણે દિગ્દર્શક માટે સફળ એકાંકી, મંચનની સફળતા માટે ઘણી યોગ્યતા માંગી લે તેવું છે. લેખક સ્વયં  અભિનય- દિગ્દર્શનનો અનુભવ ધરાવતા હોવાથી તે આવડતનો એકાંકીને પૂરેપૂરો લાભ મળ્યો છે. આ એકાંકીમાં આધુનિક યુગમાં તિરસ્કૃત પામતા વૃદ્ધોના જીવનને એકાંકીના ઢાંચામાં ઢાળી આધુનિક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા ભાવક્નો રસ જળવાઈ રહે તેવું બનાવવામાં આવ્યું છે. અહીં, લેખકે એક આધુનિક સમાજની વાસ્તવિક સ્થિતિના આલેખન સાથે સમાજમાં લોકો સુધી વૃદ્ધોની સમસ્યા અને સંવેદના સમજવાની માર્ગ ચીંધ્યો છે.
તાદર્થ્ય  વર્ષ : ૦૬, અંક : ૯, ફેબ્રુઆરી -૨૦૧૨ 



v[s 5lk]` cjfdf` tz[ k[
-Lct[g vfg`n5zf

5~yd vfj'Lt gj[p 2008     .d[h 5LA,s[xG; 5~fpL,p,vdnfjfn     s], 5fgf:107     Ls`p100-00    


v[s 5lk]` cjfdf` tz[ k[ sfJi;`u~cdf` Lct[g vfg`n5zf 5f[tfgl sfJi-ifÊfgl t:jlz zh} sz[ k[p t[gl 5~:tfjgf v[s gfgs0f[ nljf[df` t[vf[ .Èjz 5f;[yl d/[,l 36l e[8df`yl sLjtfgl e[8 5z uj" vg]ej[ k[p vf sLjtfgl cyf[8l 5fdjfgf vfc=,fns vg]ejgf PGdfng[ sLjtfdf` zh} sztf sc[ k[4
t]dsf[ i}` -}`-g[ d[` scf` ts Lgs, uif
g hfg[ Lstg[ ;f, ts d[` ,f5tf zcf
5~yd sfJi;`u~c ‘ ;}i"g]` 5~yd Lsz6’ 5~u8 yif` 5klgf ) jqf"[ vf alhf[ sfJi;`u~c sLj 5~u8 sz[ k[p vf ;`u~cdf` 36l uH,[f4 ultf[ vg vkf`nx sLjtfvf[gf[ t[d6[ ;dfj[x sif" k[p v[dgl uH,f[df` v[s ;f{yl Wifg b[`r[ t[jl afat k[ s[ df[8fefugl uH,f[gf xlqf"s t[d6[ vf%if gylp d]st vfsfxdf` Ljcztf vg[ t[dgf dgdf` rf,tf tz`uf[4 .LGÌiu~fci vg]ejf[4 jf:tLjs hutdf` jtf"tl 5LzL:yLtg[ vg[ Lh`nulgf gfg56yl yi[,f vg]ejf[gf vs"g[4 ;]bVn]Obgf ;`hf[uf[gl ;zjf6lg[ k`ngf a`wfz6df` 3f[/lg[ t[d6[ 5~:t]t szl k[p
;f{yl ;]`nz tf[4 5~:tfjgfdf` ,b[,l 5`Lstvf[ k[ h[ t[dgf dgf[efjg[ vg[ sLjgl dfgL;stfg[ ;rf[8 zlt[ Jist sz[ k[p h[df` sLjgf 5zsfif 5~j[xgl 5~Ls~ifgf[ Lgn"[x ab}al xAnf[df` Ptif[" k[4
sx]` gssz ,bft]` cf[i sIfz[ M
5~j[x[ vf56fdf` sf[. Tifz[ Ó
vf sfJi;`u~c sLj 5f[tfgl 5Tglg[ v5"6 sztfV
hÍztyl jwfz[ xAngf[ P5if[u g cf[pppppp’ S5'q9V)F4
v[d sif`s df{g ßfzf4 tf[ sif`s 5~s'Ltg]` vf[-6]` ,.g[ 5~6i vg[ nf`D5TiÔjggf vg]ejf[gl jft sztf h6fi k[p vcl` sLj sif`s 5~s'Lt4 5~6i vg[ jf:tLjstf ;fy[ .ízlitÿjg]` vg];`wfg 56 d[/jtf h6fi k[p

gnlgl h[d Ôjj]` ac]` h v3z]` k[ vf n]Lgifdf`4
s[ vfbl hftg[ Lj,lg szjfgl t05 sIf` k[ M S5'p!)F
               v[dgl uH,f[df` .Xs[cslsl vg[ .Xs[LdhfÔgl dc[Lo, zrftl hf[jf d/[ k[p vf P5zf`t 5~s'Ltgf ;fLgWidf` vg[ af/56gf Ljt[,f ;digl uf[ndf` sLj 5f[tfgf efjg[ vLeJist sz[ k[p 5~f;4 ,i vg[ efjgf[ ;]d[/ ;f`wl sLjtfgf bL0ifdf` s,dg[ af[/lg[ xAng]` 5lk]` t[d6[ cjfdf` tzt]` d}sI]` k[p
t[dgl vkf`nx sLjtf jf:tj hutgf u}- efjf[g[ sifz[s vfszf xAnf[df`4 sifz[s s8f1fdf` tf[ sifz[s a[ s0lgl jRr[ zc[,f df{g ßfzf jfrf vf5[ k[p L05~[xg4 ‘v[s ;d:if:d'Lt’ 4Lgzy"s’ h[jl sLjtfvf[ t[dgf :y}/ ;'Lq8 tzoyl ;}1d hut ;]wlgl uLtgl ;f1fl agtl h6fi k[p t[dgl uH,f[ vg[ sLjtfvf[ t[dgf dgg]` 5~LtLa`a k[p :d'Ltvf[gf vg[ vLttgf 50kfifg[ ;d[8tf sLj 5f[tfgl vf v,f{Lss ifÊfg[ vf xAnf[df` Jist sz[ k[4
            ‘8}`sdf` sc[jfgl dfzl 8[j k[4
   5}j"e}Ldsf snl af`wl gyl4
   vfh sfz6[ aw]` sc[jf ktf`4
   jft v[g[ sf`. ;dhf6l gylpS5'p!_$F
t[yl h tf[ uH,gf jf3fg[ ;6ufzjfdf` sLjv[ dyf/fg[ af`wjfgl 5/f[h6 szl gylp vf gj jqf"yl rf,tl sLj;'Lq8g[ 5l`kfyl Pn=ejtl ;]jf/l cjfdf` tztl d}stf sLj 5f[tfgf sLjtf ;fy[gf ;`a`wg[ vf zlt[ zh} sz[ k[4
n}z yjfyl n}z hjfyl4 vfd snl sif` n}z yjfi]`4
:dz6 c`d[xf ;`a`wf[yl 0u,]` vfu/ v[s ;jfi]`4
hj]` hj]` szjfgl ;fy[4 htl szl 5f[tlsl n]Lgif4
56 t]` ;fr]` sc[ h[ v[ Ln,4 tfzfyl s`. n}z yjfi]`S5'p!_$F  
b]<,f dgdf` rf,tf ;`j[ngf[g[ tfhuleif" xAnf[ d/[ tf[ u]hzftl sfJigl ;'Lq8g[ vfjf LH`nfLn, sLjvf[ d/[p
                     V 0f|p c[t, Lszl8s]dfz uf`wl
7fgu\uf4 vms8mp z_!z 

1 comment: